Friday, May 09, 2014

નગર ચરખો - લોકોને શું જોઈએ છે? એમને જ નક્કી કરવા દો ને!

ફોટો: સેન્ટર ફોર અર્બન ઇક્વિટી
પ્રાઈવેટ સ્કૂલમાં ભણતાપ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેતાપ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતાનવા મધ્યમવર્ગ માટે અને સરકારોએ જેની સંભાળ લેવાનું છોડી દીધું તે તેવા ગરીબ વર્ગ માટે સંસદ-લોકશાહી-સરકાર તે પ્રતિક માત્ર જ હોય છે. લોકશાહી લોકો સુધી ખરા અર્થમાં પહોંચાડવી હોય તો લોકોને વિશ્વાસ બેસવો જોઈએ તેમના આસપાસના વિસ્તારનાં  વિકાસના મુદ્દા પર કોઈ તેમને સાંભળવા તૈયાર છે. આપણા આસ-પડોશના વિસ્તારમાંથી કચરાનો નિયમિત નિકાલ થાયબાળકોને રમવાનીવૃધ્ધોને ગોષ્ઠી કરવાની જગ્યા થાયથોડા ઘણા ઝાડ-પાન-ફૂલ રોપાયરસ્તા સુધારેપાણી મળેગટર ના ગંધાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની મુખ્ય જવાબદારી સ્થાનિક પંચાયત/પાલિકાની હોય છે. તેમાં જે તે વિસ્તારના લોકોને માત્ર ફરિયાદ કરવાની જ નહિ પણ વિકાસના કામોના આયોજનમાં કંઇક કહેવાનીબની શકે તો કંઇક બદલી શકવાની તક હોવી જોઈએ. લોકોની ભાગીદારી કોઈ વિકાસના કામનાં આયોજનફંડ ફાળવણી અને અમલીકરણમાં આવે તો લોકશાહી લોકો સુધી પહોંચે.

જો જે તે વિસ્તારના નાગરીકો મળીને ક્યાંક ફૂટપાથ કે બેઠક વ્યવસ્થા કરવા માંગે કે કોઈ વિકાસલક્ષી કામ કરવા માંગે તો સ્થાનિક નગરપાલિકા પાસે એવા કોઈ ભંડોળ ખરાશું આ કામ કોઈનો 'ઉપકારલીધા વગર, 'ચેરીટી'ના રસ્તે સ્થાનિક ફંડ-ફાળો ભેગો કર્યા વગર સરકારે ઉભી કરેલી વ્યવસ્થા દ્વારા નાગરીકોના હક તરીકે થઇ ન શકે?  પાલિકા-પંચાયતમાં વિસ્તાર પ્રમાણે વિકાસનું બજેટ હોવું જોવું જોઈએ તેમાં જે-તે વિસ્તારના નાગરિકોની બહુમતીથી તેનો શો ઉપયોગ થાય તે નક્કી કરી શકાય. અત્યારે આવા બજેટો પર જનતાના કહેવાતા પ્રતિનિધિઓનું વર્ચસ્વ હોય છે, તેમાં તે કોઈ દિવસ જનતાને પૂછીને નિર્ણયો લેતા નથી. લોક-ભાગીદારીથી જ સ્થાનિક બજેટ નક્કી થાય અને તે પ્રમાણેના વિકાસના કામો થાય. નહિ તો પછી ઉપરથી ઠોકી બેસાડેલી રીત-રસમો અને વિકાસની આદત સરકાર અને નાગરીકો બંનેને પડી જાય છે. મોટા-મોટા પ્રોજેક્ટો વખતે ફરજીયાત કરવી પડતી પબ્લિક મીટીંગ શાનદાર હોટેલોમાં પૂરી થઇ જાય છેતેમાં લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કે ઈચ્છા નથી હોતી.

૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારા પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ - શહેરી (મહા)નગરપાલિકા કે ગ્રામ પંચાયત પાસે પોતાના વિકાસના કામોનું આયોજન અને અમલીકરણ કરવાની સત્તા હોવી જોઈએ. આજે વીસ વર્ષ પછી એ માહોલ છે કે મોટાભાગની નગરપાલિકાઓ રાજ્ય સરકાર પર નાણાટેકનીકલ મદદથી માંડીને નાનાં-મોટા વિકાસના કામો કરવા માટે સંપૂર્ણ આધારિત છે. નથી તેમની પાસે તાલીમ પામેલો સ્ટાફ કે નથી વિકાસના કામ કરવા માટેની સાધન-સંપત્તિ અને અધૂરામાં પુરૂં, તેઓ પોતે રાજ્ય સરકારના 'ઉપકારપર આધારિત હોય છેતે બીજાને સ્વ-રાજ્યની તરફ કેવી રીતે લઇ જઈ શકે? એટલે સૌથી પહેલાં તો પાલનપુરથી પોરબંદર સુધીના લગભગ દોઢસો શહેરોમાં મ્યુનીસીપલ વ્યવસ્થા મજબૂત કરવી પડે. તેમને સારો નિષ્ણાત સ્ટાફ આપવો પડે અને સાથે સાથે નાણાકીય સ્વનિર્ભરતાની વ્યવસ્થા ઉભી કરાવી પડે.

આ પછી લોકો વચ્ચે સુમેળ સાથે કામ પાર પાડી શકે તેવો સ્થાનિક પાલિકા-પંચાયતનો સ્ટાફ જોઈએ કે જે લોકોના ગમા-અણગમાને સર્વસંમતિ સુધી સીફતતાથી પહોંચાડી શકે. સરકારી અમલદારો જો ટીપીકલ 'ગવર્નમેન્ટાલીટી'માંથી બહાર ન નીકળી શકતા હોય તો પછી તે લોકો પાસે જઈને સારી યોજનાઓ વિષે વાત કેવી રીતે કરશે? અત્યારે સરકાર અને લોકો વચ્ચે કોઈ સંવાદ જ નથી રહ્યો. લોકો જો પોતાની આસ-પાસનું વાતાવરણ સુધરતું જોશે તો તેમને લોકશાહીની ધીમી અને કંટાળાજનક પ્રક્રિયાઓના ફાયદા જણાશે અને તેના ફળસ્વરૂપે સ્થાનિક વહીવટમાં પારદર્શિતા અને ઝડપ આવશે. લોકો આજે કોઈ પણ સરકારી મીટીંગોથી અલુંપ્ત રહે છે કારણકે તેમને ખબર છે કે કોઈ તેમને સાંભળવાનું જ નથી. આ દેશમાં લોકશાહીના મૂળિયાં ઊંડા રોપવા હશે તો પછી સરકારે લોકોના રોજબરોજના જીવનને અડતાં મુદ્દાઓમાં, લોકો સાથે  શેરી-મહોલ્લાઓમાં સંવાદ સાધતા શીખવું પડશે.

નવગુજરાત સમય, પાન નં 11, 18 એપ્રિલ, 2014.

No comments:

Post a Comment