Showing posts with label music. Show all posts
Showing posts with label music. Show all posts

Monday, July 13, 2015

Stop blaming pedestrians for getting killed & instead sensitise motorists!



In the last week, I read two contradictory news items from Delhi and Ahmedabad. The Delhi Traffic Police took out a drive for unruly motorists to respect pedestrians by giving them enough space on zebra crossing. Motorists who stopped before zebra crossings were given chocolates and key chains and the ones who did not were fined. The reason for this drive was the data of road fatalities – almost 46% of the people who died in road crashes in Delhi were pedestrians. Pedestrians do not have proper footpaths to walk on or safe crossings to go across the roads. It is commendable that the Delhi traffic police took the road fatalities data seriously and ran a campaign of supporting pedestrian rights. 


The other news items came from our own Ahmedabad (DNA, 29/06/15) where pedestrians were termed as ‘rash pedestrians’ by the Traffic Police and blamed for their own death or injuries in road crashes. The pedestrians were asked to use zebra crossings and footpaths to be safe. Great! It would have been utmost helpful, if the Traffic Police took some efforts of showing the said zebra crossings and footpaths by walking for about 200 meters on any city road! Where are the footpaths and zebra crossings in Ahmedabad? Footpaths are mostly covered by parked vehicles, roadside businesses and other things. There is no space left on the zebra crossings for the pedestrians to cross. The zebra crossings start and end in blank walls, planters and hoardings. With such sorry state of pedestrian infrastructure in the city, they are still blamed as ‘causes’ of accidents. 


How can the pedestrians alone be the ‘causes’ of these accidents? When there is a collision can you only blame one side? I can only picture these ‘rash’ pedestrians as being zombies who are crashing themselves into the fast-moving vehicles and committing suicide. Calling pedestrians as the sole reason for accidents amounts to blaming the victims. Pedestrians are victims and not perpetrators of traffic crimes because they are at higher risks and are more vulnerable during road crashes. Victim blaming has its own logical fallacies and besides, it is convenient to blame someone – it distracts the attention from the real problems. If you blame the victims like the pedestrians then no one will ask questions about systemic problems like why there is no safe infrastructure for pedestrians in the city? OR why the Traffic Police is only concerned about protecting the vehicular traffic and why do they ignore the pedestrian or the non-motorised traffic? 


Traffic Police in Ahmedabad and in other cities are doing commendable job of managing the unmanageable – the never-ending traffic. They have scarce resources, inadequate staff, limited equipments and a thankless job. But an important part of their job is to reduce road fatalities and injuries. Blaming the victims does not help their job at all. Rather they should proactively work with different road users to make them safe on our hostile roads. 


About one-third of the total intra-city journeys in our cities are by walking. We all have to walk sometime or the other. Unsafe pedestrian environment affects everyone in the family. When pedestrians are using the roads, they are scavenging for safe spaces to walk on. They operate with a different logic compared to the motorised traffic. Beyond the usual contest over road space, it is essential that both the pedestrians and the motorists understand each other’s way of dealing with the road space and have mutual respect. Cities, which are built on mutual respect and shared spaces, are the most beautiful cities in the world. 


 (6th July, 2015: DNA Ahmedabad edition, Cities Supplement, Page 5)

Monday, February 21, 2011

સિનેમા પેરાડીઝો – તરબતર કરી જતી ક્લાસિક ફિલ્મ

(આજે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મારી સૌથી ગમતી ફિલ્મ વિષે મારી સૌથી ગમતી ભાષામાં)
પોતાની સૌથી ગમતી ફિલ્મ વિષેનાં લખાણમાં વખાણનાં અતિરેક થઇ જવાની વકી રહે છે, તેવી લાગણી સાથે લખી રહ્યો છું. પણ  'સિનેમા પેરાડીઝો (૧૯૮૮)'નાં વિષે લખતા તટસ્થ રીતે લખાવાનું જ નથી. આપણો પક્ષપાત બહુ ચોખ્ખો છે. આ ફિલ્મ મારા વિનમ્ર મત મુજબ વીસમી સદીની સૌથી મહાન ફિલ્મોની યાદીમાં પહેલા પાંચમાં જરૂર આવે. આ ફિલ્મની વાર્તા જબરદસ્ત છે. તેને પ્રેમકથા કે દોસ્તીની કથા કહીને તેનો વ્યાપ્ત ઓછો નથી કરવો પણ હળવી પળો અને હલાવી જતી પળો બંને ઠાંસી ઠાંસીને ભરી છે. 

આ ફિલ્મની શરૂઆત એક મજબૂત દોસ્તીથી થાય છે – એક દસ-બાર વરસના ટેણીયા સાલ્વાતોર (તોતો) અને મધ્યમ વયના આલ્ફ્રેડો વચ્ચે. સિસિલી (ઈટાલી)નાં એક નાના ગામમાં આવેલા એક માત્ર ફિલ્મ થીયેટરમાં આલ્ફ્રેડો પ્રોજેક્શનનું કામ-કાજ સંભાળે છે. જયારે તોતોએ બીજા વિશ્વયુદ્ધમાંથી પાછા ન આવેલ સૈનિકની ઘરમાં સૌથી મોટી સંતાન. તેને ચર્ચમાં કરવા પડતા કંટાળાજનક સ્વયંસેવી કામ અને સ્કૂલની બોરિંગ લખા-પટ્ટી વચ્ચે ફિલ્મોનો શોખ જાગે તે સ્વાભાવિક હતું. તોતોનો મુખ્ય ઉદ્દેશ આલ્ફ્રેડોના રહસ્યમયી કિલ્લા જેવા પ્રોજેક્શન રૂમ સુધી પહોંચવાનો કે જેમાંથી જાદુઈ રીતે એક માયાવી દુનિયાના પાત્રો સિનેમાના પરદા પર સરી પડે છે. તોતોની ફિલ્મની સફર માત્ર પ્રોજેક્શન રૂમ સુધી જ નહિ પણ ફિલ્મકાર બનવા સુધી પહોંચી અને તેમાં આલ્ફ્રેડોનો ફાળો અનન્ય હતો – તોતોને પ્રોજેક્શન રૂમની અંદર લઇ આવવા માટે અને આ ગામની બહાર જઈને પોતાની નવી પહેચાન બનાવવા માટે. 
અમેરિકાના બંધારણના ઘડવૈયા થોમસ જેફરસને કહેલું કે ‘દરેક દેશમાં, દરેક કાળમાં ધર્મગુરુઓ હમેશા વ્યક્તિસ્વાત્રન્ત્યનો વિરોધ કરતા આવ્યા છે’. આ વાત ઈટાલીના નાના ગામમાં કેવી રીતે ખોટી પડે! ગામનું સ્થાનિક સેન્સર બોર્ડ એટલે ચર્ચના પાદરી. આખું ગામ કોઈ નવી ફિલ્મ જોવે તે પહેલા આ પાદરી એકલા  થીયેટરમાં બેસીને તે ફિલ્મ નિહાળે અને તેમાં જરૂરી કાપ-કૂપ સૂચવે – સેન્સર કરવા જેવી બાબત મોટેભાગે એ જમાના પ્રમાણે કોઈ ‘કિસિંગ સીન’ની હોય. આવા અનેક પ્રસંગો સાથે આ ફિલ્મની મજા એ છે કે તે સતત વહેતી ધારા જેવી છે. તોતો મોટો થાય છે અને એક દિવસ આલ્ફ્રેડોની જગ્યાએ તે પોતે નવા બનેલા થીયેટરમાં પ્રોજેક્શન-કાર બને છે. ફિલ્મી જગત બદલાય છે, આખું ગામ અને સાથે સાથે ફિલ્મ-રસિક સમાજ પણ બદલાય છે. આ બદલાવોનો દૌર ચાલતો રહે છે જે ફિલ્મમાં સરસ રીતે ઝીલાય છે. 
પછી તો તોતો પ્રેમમાં પડે છે! ‘પડે છે’ એટલે એવો પટકાય છે કે કળ વળે ત્યાં સુધીમાં તો તેની દુનિયા બદલાઈ જાય છે. તેની પ્રેમિકા સમયના પ્રવાહમાં ખોવાઈ જાય છે અને તેની જીંદગી થંભી જાય છે. દાયકાઓ બાદ સાલ્વાતોર ડી વીટા નામના પ્રખ્યાત ફિલ્મકારને વહેલી સવારે તેની માતા એક મુફલીસ ગામના મુફલીસ વ્યક્તિ આલ્ફ્રેડોના અવસાનના સમાચાર આપે છે. વર્ષો પછી તોતો ઉર્ફ સાલ્વાતોર પોતાના ગામમાં આલ્ફ્રેડો અંતિમયાત્રામાં ભાગ લેવા પાછો ફરે છે. ત્યારે તેને આલ્ફ્રેડોએ જાળવી રાખેલા એક રહસ્ય વિષે ખબર પડે છે... બસ, અહી આગળ વધુ કહેવાની જરૂર નથી. આની આગળની ફિલ્મ તો જોવી જ પડે. કારણકે ‘જોવાનો જલસો’ વાંચવાથી ન થઇ શકે. 

જેસેપ્પે ટોર્નાતોર નામના નિર્દેશકની ૩૨ વર્ષની ઉમરે દિગ્દર્શિત કરેલી આ બીજી જ ફિલ્મ હતી. ફિલ્મ રીલીઝ થતાંની સાથે જ  સફળ થઇ. આ જ નિર્દેશકે ‘મલેના (૨૦૦૦)’ જેવી બીજી સુંદર ફિલ્મો આપી પણ તે આ ફિલ્મની તોલે ન આવી શકે. મારું એવું માનવું છે કે મહાન ફિલ્મો (મહાન ચિત્રો, મહાન ધૂનો, મહાન નાટકો) બની જતી હોય છે. તેમને પ્રયત્નપૂર્વક મહાન બનાવી શકાય નહિ. અહીં આકસ્મિકતાની વાત નથી પણ સાચો સુમેળ સંધાવાની વાત છે. એક સમય આવે જયારે એક-બીજાને એકરૂપ (કે પૂરક) એવા લોકો મળે, એવી ઘટનાઓ બને કે જેમાં મહાન સર્જનો રચાઈ જવાનો માહોલ સર્જાય. ‘ગોડફાધર’, ‘ટેક્ષી ડ્રાઈવર’, ‘સેવન સમુરાઈ’, ‘પથેર પાંચાલી’, ‘મેઘે ઢકે તારા’ વગેરે વિષે આવું જ કહી શકાય. 

આ ફિલ્મનું પાશ્વસંગીત પણ યાદ રહી જાય તેવું છે. એનીઓ મોરીકોન જેવા દિગ્ગજ સંગીતકારે અહીં સંગીત આપ્યું છે. ‘વેસ્ટર્ન’ તરીકે ઓળખાતી હોલીવુડ ફિલ્મોની યાદગાર ધૂનો તેમને આપી છે (ઉદા. ધ ગુડ, ધ બેડ, ધ અગ્લી). ફરી વાર આ ફિલ્મ જોશો તો સંગીત તરત જ તાજુ થઇ જશે. ફિલ્મના બીજા ટેકનીકલ પાસા પણ મજબૂત છે. આ ફિલ્મ એ સાબિત કરે છે કે ફિલ્મોમાં લેખનનું કેટલું મહત્વ છે. વિવિધ સમયકાળ વચ્ચે આસાનીથી સરી જવાની ઘટનાએ ફિલ્મને સારી કે ખરાબ બનાવી શકે છે. તોતોની ત્રણેય ભૂમિકાઓ યાદગાર છે પણ સૌથી નાની ઉમરનો તોતો સૌથી મસ્ત છે. આલ્ફ્રેડોનું પાત્ર તો યાદ રહે જ પણ તોતોની પ્રૌઢ વયની પ્રેમિકાનો અભિનય પણ સુંદર છે. 

આ ફિલ્મ એ શીખવે છે કે લોકપ્રિય વિષયવસ્તુ સાથે કલાત્મક ફિલ્મ કેવી રીતે બનાવી શકાય. ક્લાસિક ફિલ્મ એટલે જૂની ફિલ્મ એવું નહિ. જેમ ક્લાસિક કવિતાઓ જેટલી વાર વાંચો તેમાંથી નવા અર્થો ખૂલતા જાય તેવું કંઇક આવી ક્લાસિક ફિલ્મોની બાબતમાં પણ બનતું હોય છે. તેથી જ ‘સિનેમા પેરાડીઝો’ ક્લાસિક ફિલ્મ છે.

એક સ્પષ્ટતા – આ ફિલ્મની ૧૫૪ મીનીટ અને ૧૨૩ મીનીટ તેમ બે આવૃત્તિ છે. હું અહીં ૧૫૪ મીનીટની આખી ફીલ્મની વાત જ કરી રહ્યો છું. ૧૨૩ મીનીટની ‘ન્યુવો સિનેમા પેરડીઝો’ નામની આવૃત્તિ જે વધુ આસાનીથી મળી શકે તેમાં ફિલ્મનું મૂળ હાર્દ નથી એવું મારું માનવું છે.

Thursday, June 24, 2010

વાન ગોગ અને ચિત્રો-૨ (Kurosawa's Dreams)

આ વાન ગોગ અંગેની પોસ્ટમાં અકીરા કુરોસાવાના 'ડ્રીમ્સ' (૧૯૯૦) વિષે વાત થયેલી. આ ફિલ્મ એમ તો અલગ- અલગ સ્વપ્નોનું સંયોજન છે અને તેમનું એક 'સ્વપ્ન' છે વાન ગોગ વિષે. યુ ટ્યુબ પર આખે-આખું સ્વપ્ન મળી આવ્યું છે જેની લીંક ઉપર આપેલી છે. 

વાન ગોગે દક્ષીણ ફ્રાન્સના આર્લ્હ  અને તેની આસપાસના વિસ્તારમાં વિતાવેલો સમય (૨૧ ફેબ્રુઆરી ૧૮૮૮ - ૨૭ જુલાઈ ૧૮૯૦સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યો છે. અહી વાન ગોગ મૃત્યુ પર્યંત રહ્યો અને અહી કરેલું તેનું કામ અમર થઇ ગયું છે. કુરોસાવા અહીના વાન ગોગને સ્ટીમ એન્જીન સાથે સરખાવે છે.  તેનામાં ઉશ્કેરાટ છે, જુસ્સો છે, અપરંપાર બેચેની છે છતાં તેના ચિત્રોમાં કુશળતા, શૈલી કે વિષય વસ્તુનો ભોગ નથી લેવાયો. આ સમયના વાન ગોગ વિષે જાત-જાતની વાતો પ્રચલિત છે - જેમકે વાન ગોગે તેનો કાન કાપી નાખેલો તે. કુરોસાવાનો વાન ગોગ કહે છે કે, હું તેને વ્યવસ્થીત દોરી શક્યો નહિ એટલે... 

અહી વાન ગોગ બે વર્ષમાં જે કરી શક્યો, તે બે વર્ષ કળાજગતના ઇતિહાસમાં અનન્ય છે. તેના બહુ પ્રખ્યાત ચિત્રો જેવા કે, બેડરૂમ ઇન આર્લ્હ, દ રેડ વાઈનયાર્ડ, દ નાઈટ કેફે, ચેર, સ્ટારી નાઈ, યલો હાઉસ, વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સ, સન ફ્લાવર્સ અને સંખ્યાબંધ સેલ્ફ-પોટ્રેટ્સ વગેરે અહી આ બે વર્ષના ગાળામાં રચાયા છે. વાન ગોગનો પ્રખ્યાત 'વાન ગોગ યલો' એટલે કે તેના ચિત્રોમાં 'સખત' પીળા રંગનો ઉપયોગ તો જાણે કે દક્ષીણ ફ્રાન્સના તીવ્ર તડકાની જ દેન છે. અહી વાન ગોગે પસંદ કરેલા વિષય વસ્તુ બહુ સામાન્ય છે પરંતુ બહુ જ અસામાન્ય છે આ વિષયોને રજુ કરવાની શૈલી અને તેમને 'ફ્રેમ' કરવાની પધ્ધતિ. અહી તેના ચિત્રોના ઘાટ્ટા-ઘટ્ટ લસરકા, રંગોનું મિશ્રણ, રંગોનો ઉપયોગ સામાન્ય વિષયોને નવો અર્થ આપે છે, તેમને નવી રીતે રજુ કરે છે. સ્ટારી નાઈટ જોઇને એમ થાય છે કે કેવા માણસને 'આવું' આકાશ દેખાતું હશે? વાન ગોગનું આકાશ ભડકે બળે છે. ગાઢ રાત્રે સર્વત્ર અંધકાર નથી પણ પ્રકાશના તેજ લીસોટાઓનો અંધકાર ખાળવાનો મરણીયો પ્રયાસ છે. ઓગણીસમી સદીના અંતમાં એક અશાંત કલાકાર ઔદ્યોગિક ક્રાંતિ, કેમેરાની શોધ અને આધુનિકતાના વંટોળમાં અટવાયેલા કળા જગતને કલાની નવી વ્યાખ્યા અને સમજ આપી જાય છે. 

કુરોસાવા તેનું સ્વપ્ન વ્હીટફિલ્ડ્સ વિથ દ ક્રોવ્સથી પૂરું કરે છે. જીવનના અંતનું નિરૂપણ કરતુ આ ચિત્ર જોઇને રાવજી પટેલના શબ્દો - 'મારી આંખે કંકુના સુરજ આથમ્યા', 'અજવાળા પહેરીને ઉભા શ્વાસ'  અને 'મને લાગે સજીવી હળવાશ'નું સ્મરણ કરાવે છે. જગતભરના કલાકારોને પ્રેરણા આપનાર વાન ગોગને કલાકારોએ આગવી રીતે યાદ કર્યો છે અને કરતા રહ્યા છે. કુરોસાવા સિવાય ડોન મેકલીન - પ્રખ્યાત કન્ટ્રી સંગીતજ્ઞ  સ્ટારી સ્ટારી નાઈટ્સ ગાઈને/લખીને વાન ગોગને યાદ કરે છે.  આ સિવાય વાન ગોગે સેન્ટ રેમીના ઈસ્પિતાલમાં વિતાવેલા સમયને સ્પર્શીને લખાયેલી ગુલઝારની એક સુંદર કવિતા પણ છે. બે-ત્રણ ફિલ્મો બનવા છતાં ફિલ્મોમાં હજુ સુધી વાન ગોગને પુરતો ન્યાય નથી મળ્યો. પરંતુ ગુજરાતીમાં વાન ગોગ લઇ આવનાર 'સળગતા સુરજમુખી'ના અનુવાદક/લેખક વિનોદ મેઘાણીને યાદ કરવાનું મન થાય જ. 

નોંધ: પહેલી પોસ્ટ વાંચીને જે મિત્રોએ વાન ગોગ અંગે માહિતી આપી તે સૌનો આભાર. ખાસ તો આશિષ વશી અને સૌમિત્ર ત્રિવેદી.