Showing posts with label culture. Show all posts
Showing posts with label culture. Show all posts

Sunday, April 03, 2016

છઠ્ઠું વર્ષ અને 150મી પોસ્ટ: એકવીસમી સદીમાં ગુજરાતી લેખક અને વાચક!

1લી એપ્રિલ, 2010ના 'ફૂલ્સ ડે'ના પવિત્ર દિવસે હસતાં-હસતાં આ બ્લોગ શરુ કરેલો. હવે રમતાં-રમતાં 6 વર્ષ પુરા થયા. ત્યારે પણ 'લખતાં' નહોતું આવડતું, આજે પણ કદાચ નથી આવડતું! ત્યારે ય પણ ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું કંતાતું હતું, આજે પણ! આ છ વર્ષમાં ગોકળગાયની ગતિએ 150 પોસ્ટ પૂરી કરી. ઇન ફેક્ટ, 150મી પોસ્ટ પૂરી કરી રહ્યો છું. આજે 150મી પોસ્ટ મારા બ્લોગના જન્મદિને (જન્મ અઠવાડિયે) એક્સક્લુઝીવલી માત્ર બ્લોગ પર મૂકી રહ્યો છું. આ 150 પોસ્ટમાં 'નવગુજરાત સમય' માટે લખેલી લગભગ પચાસ અને ડીએનએ માટે લખેલી લગભગ ત્રીસ પોસ્ટ અંગ્રેજીમાં પણ છે. આ ઉપરાંત સ્ક્રોલમાં (scroll.in) લખ્યું, સાર્થક 'જલસો'માં લખ્યું, નિરીક્ષકમાં લખ્યું. કોઈકે સામેથી હક અને હઠ કરીને લેખ માંગ્યા તો કોઈકે પૂછ્યા વિના કંઇક છાપી નાખ્યું. કોઈકે એવો આગ્રહ રાખ્યો કે મારે મારું લખેલું છપાવવા તેમની કુરનીશ બજાવવી જોઈએ. જો કે,  મોટેભાગે સારા અનુભવો જ થયા છે. ઘણાં નવા મિત્રો મળ્યા છે, ઘણી નવી સમજ કેળવાઈ છે, જે સૌથી મોટી મૂડી છે. 

પ્રોફેશનલ લેખકોની - કટાર લેખકોની જીંદગી આકરી હોય છે. ફૂલ ટાઈમ નોકરી અને પાર્ટ ટાઈમ પ્રવાસો સાથે નિયમિત કોલમ લખવાની શિસ્ત કેળવવી અઘરી હોય છે. વળી, 2010થી યુનિકોડના આવવા પછી ગુજરાતી લેખકો, કવિઓની સંખ્યામાં જે સતત વધારો થયો છે, જે જોતાં એવું લાગે છે કે આજે લેખકોની સંખ્યા વાચકો કરતાં વધારે છે. સાથે સાથે, મમળાવીને વાંચવું ગમે તે પ્રકારના લખાણો ઘટતાં જાય છે. છેલ્લે, તમે ભીજવતું કે દઝાડતું લખાણ ક્યારે વાંચેલું? મનોજ ખંડેરિયા તેમની લોકપ્રિય ગઝલમાં કહે છે તેમ પકડો કલમને કોઈ પળે, હાથ આખેઆખો બળે - તેવું બને છે? અને એવું બને તો શું લેખકની લ્હાય વાચક સુધી પહોંચે છે? લેખકની ગમે તેવી લ્હાય હોય પણ શું વાચક તેને સાહીઠ સેકંડથી વધારેનો એટેન્શન સ્પાન આપી શકે છે?

એક વાર 'લેખક' બની ગયા પછી, ઘણાં બીજા કોઈકે લખેલું વાંચવાનું છોડી દે છે પણ બીજા પોતાનું વાંચ્યા કરે તેવો આગ્રહ રાખે છે. દર અઠવાડિયે નવા વિચારો, નવી સામગ્રી,  મૌલિક લેખો વગેરે લાવવું અઘરું હોય છે. કેટલીક વાર કોઈક નવો મુદ્દો આવે ત્યારે વાચક તરીકે આપણને ખબર જ હોય છે કે આ વિષે કોણ શું લખશે. અને કમનસીબે, આ અનુમાન ખોટું પડતું નથી.  માન્યું કે મોટાભાગના લેખકોનું એક પ્રકારનું સામાજિક-રાજકીય વલણ હોય છે પણ તેની અંદર પણ તાજગી,  મૌલિકતા હોઈ શકે! આજે મને સરેરાશ ગુજરાતી લેખક એક તરફ સેલ્ફી-ગ્રસ્ત અવસ્થામાં પોતાનાં લખાણને પ્રમોટ કરતો દેખાય છે તો બીજી બાજુ વાચકોને લુભાવવા અને ખુશ રાખવા આગ્રહ કરીને પીરસતો પીરસણિયો થઇ ગયો છે. ફરક માત્ર એક જ છે કે કોઈનો શો રૂમ હોય છે, કોઈની દુકાન હોય છે અને કોઈની લારી - બાકી અલગ અલગ પ્રકારની દુકાનદારીની અપેક્ષા તો દરેક લેખક પાસેથી હોય છે. ક્યારેક તો લેખકની બનવાની તૈયારી કરતાં   દુકાનદારીની તૈયારી વધુ મજબૂત હોય છે.

સાથે સાથે મને છેલ્લા છ વર્ષમાં એ પણ ખૂંચે છે કે ગુજરાતી લેખનમાં રૂઢિચુસ્તતાનો ઉત્સવ લોકપ્રિય થઇ રહ્યો છે! સમાજના અને રાજકારણના સ્થાપિત હિતોને સ્વીકારી લેવાની અને બને તો તેનું મહાત્મ્ય કરવાની ફેશન ચાલે છે. આધુનિક, પ્રગતિશીલ, ખુલ્લું દિમાગ ધરાવતાં, ઉદાર મતના લેખકોની સંખ્યા ગુજરાતમાં કેટલી? શું આજે આપણાં એક સરેરાશ લેખકને પોતાની જાતિ-જ્ઞાતિ, લિંગ, ધર્મ, રંગ વગેરેમાંથી ઉદ્ભવતા સહજ પક્ષપાતો અને પૂર્વગ્રહોની જાણકારી હોય છે? શું આ લેખક સમજે છે કે તેની પોતાની સામાજિક પરિસ્થિતિના લીધે સહજ રીતે મળતાં પ્રિવિલેજ કેટલાં છે? અને પોતાને સહજ રીતે મળતાં સામાજિક વિશેષાધિકારોનો (પ્રીવીલેજીસનો) ઉપયોગ કરીને તે શું મેળવે છે? અને જે તે મેળવી લીધા પછી તે કોની પીઠ થાબડે છે? આ બધા અઘરા પ્રશ્નો છે. અને અઘરા પ્રશ્નોનો જવાબ અઘરો હોય છે. અઘરા જવાબોમાં મંથન-ચિંતન-વલોપાત હોય છે. ચાલો, આજે તમે  આધુનિક કે પ્રગતિશીલ વિચારોથી કેળવાયા ન હોય તે બની શકે પણ, કમ સે કમ તમારો કોઈ ઈમાનદાર વલોપાત કે અસલ વૈચારિક સંઘર્ષ તો હોઈ શકે ને! પણ લેખક પાસેથી અપેક્ષા હોય છે કે તે નિર્વાણ પામેલ દૈવી આત્માની જેમ ઊંચા આસનેથી બેસીને પ્રવચન આપે, દરેક મુદ્દાનું 'સનાતન સત્ય' પ્રગટ કરે. તેમાં વિચાર-વલોપાતનું કોઈ સ્થાન હોતું નથી. વધુમાં, તે માની લીધેલા અદ્રશ્ય રાજકીય શત્રુઓના ગાભાં કાઢી નાખે, બેન્ડ બજાવી દે. પછી તાળીઓનો ગડગડાટ થાય, શો પૂરો થાય. પેલો દૈવી આત્મા હવે નવરો પડે છે. વાચકો પોતાના બ્રાઉઝરમાં હવે બીજી નવી વિન્ડો ખોલે છે.

લેખક હવે દુકાનદાર, દૈવી આત્મા અને જાદુગરનું મિશ્રણ ધરાવતો બહુરુપીયો છે. વાચક હવે  ગ્રાહક, ભક્તગણ અને પ્રેક્ષકનું મિશ્રણ ધરાવતો બીજો બહુરુપીયો છે. લેખકની દુકાનનું કાઉન્ટર, ઉંચું આસન કે સ્ટેજ ઓળંગી શકવાની સંભાવના કેટલી? વાચકની બે હાથ જોડીને બેસી રહેવાની કે તાળીઓ પડવાની જગ્યાએ ઉભા થઈને  સવાલ પૂછવાની ભૂમિકા હોઈ શકે કે નહિ? લેખક 'આવું જ ખપે છે' તેમ  માનીને  ગુણવત્તા સાથે બાંધછોડ કરતો  થઇ જાય છે અને વાચક પણ બધી જ બાંધછોડો સ્વીકારી લે છે. મરીઝ કહે છે કે તેમ - તમે પણ કોઈ વાત મનથી ન કીધી અને અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યા. મને આ લેખક અને વાચક બંનેના બીબાંઢાળ રૂપ ખૂંચે છે. સરેરાશ લેખકની મીડીયોક્રિટી (mediocrity) અને સરેરાશ વાચકની પેસીવીટી (passivity) ખૂંચે છે. લેખક અને વાચક બંનેને માટે આ જડ ભૂમિકાને લાંઘવી જરૂરી છે. આ પ્રકારનું ઉલ્લંઘન (transgression) સ્વસ્થ સમાજની નિશાની હોય છે. એકવીસમી સદીમાં શું કોઈ લખાણ તમારા મગજના અંધારા ખૂણામાં રહેલા ન્યુરોન્સને અજવાળી શકે છે કે તે અંધારા ખૂણા પર દરવાજો જડીને સદાય માટે તાળું જડી દે છે? આ પૂછવા જેવો પ્રશ્ન હોય છે.

છ વર્ષમાં રાજકીય-સામાજિક ક્ષેત્રે ઘણું બદલાયું છે. 'ગરીબોના હાથ' વાળી સરકાર ગઈ અને 'અચ્છે દિન' વાળી સરકાર આવી છે. આ સાથે રાજકીય ધ્રુવીકરણ પણ જબરજસ્ત થયું છે. તમે ક્યાં તો અમારી સાથે છો અથવા વિરુદ્ધ! મધ્યમ માર્ગનો, મધ્યમાં રહેલી રાજકીય સ્પેસનો વિલય થયો છે. લેખક અને વાચક બંનેને આજે પક્ષાપક્ષીની રમત રમવી પડે છે. ઘટનાઓ બદલાય છે પણ તેમનું વિશ્લેષણ બદલાતું નથી. આ પક્ષાપક્ષીની રમતમાં સૌથી પહેલી ખુવારી સત્ય અને તર્કબુદ્ધિની થતી હોય છે. અત્યારે આપણે જે પ્રકારના રાજકીય લોલકમાં છીએ તેમાં આ ધ્રુવીકરણ ખુવાર થાય તે પહેલાં થોડા વર્ષ માટે વધવાનું છે. ત્યારે લેખકે અને વાચકે એ નક્કી કરવાનું છે કે તેઓ રાજકીય લોલકમાં લોલમલોલ થવું છે કે પછી લોલકગતિની બહાર ઉભા રહેવું છે. નીચે વાંચો રમેશ પારેખને! આ કરવું અઘરું હોય છે. પણ જીંદગી ક્યાં સહેલી હોય છે? સહેલી તો સુરજ બરજાત્યાની ફિલ્મો હોય છે!


બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, 
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું; 
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, 
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું ! 
 -રમેશ પારેખ

દરેક ટીકા કે ટિપ્પણ નવા વિચારનું, નવી વિભાવનાનું સ્વાગત કરે છે. મારી સમકાલીન લખાણો માટેની ટીકા-ટીપ્પણી તે મારો આખરી ચુકાદો નથી પણ મારું વિચાર દ્વંદ્વ છે. છેલ્લા છ વર્ષમાં થયેલા સ્વપ્નભંગની સૂચી છે. ઘણી શક્યતાઓ ધરાવતા ટેલેન્ટેડ લેખકોને 'સેટલ' થવાની લ્હ્યાયમાં ભેખડે ભરાતાં જોયા છે. આ લેખક અને વાચક જગતના પ્રવાહો ગુજરાત સુધી સીમિત નથી. તેથી આ ગુજરાતી અસ્મિતાની ક્રાઈસીસ નથી. આ ક્રાઈસીસ એકવીસમી સદી માટે સુસંગત લખાણના વિચારબીજની છે. આ ક્રાઈસીસ લોલકગતિની નિર્ધારિત ગતિને નહિ પડકારી શકવાથી ઉભી થઇ છે. આ એકવીસમી સદીના લેખક અને વાચકની એક્ઝીસ્ટેનશીયલ ક્રાઈસીસ છે. એક લખાણને સાહિત્ય બનવા માટે લાંબી મજલ કાપવી પડતી હોય છે. આ મજલ કાપવા માટે જે સાહસીઓ નીકળ્યા હોય તેમને 'ઓલ ધ બેસ્ટ' અને આ મજલમાં જે જલ્દી થાકી જવાના હોય તેમને 'બક અપ'. ફરી મનોજ ખંડેરિયાને યાદ કરીએ તો એવું પણ બને કે અડધા રસ્તે રસ્તોને ભોમિયા બંને છેતરે અને એવું પણ બને કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં પહોંચતા જ મન પાછું વળે. ખેર, લેખક અને વાચક બંને ને તેમની લાંબી ઉંચી ઉડાન મુબારક અને ગમતીલો મુકામ મુબારક! મુબારકબાદી સાથે નીચેની કવિતા બંધ બેસે છે. આ આર્થર સ્કીત્ઝ્લરે 1898માં લખેલી કવિતા વિયેના શહેરના લિયોપોલ્ડ મ્યુઝીયમમાં છે.


સત્યનું હાર્દ તેને જ મળે છે જે તેને શોધવા નીકળે છે. 
સ્વપ્ન અને  જાગૃતિની જેમ જ એકબીજાની અંદર એકધારા વહે છે,
સત્ય અને જૂઠ. કશું ય નિર્ધારિત ક્યાં હોય છે.
આપણે ક્યાં બીજાને કે પોતાની જાતને ઓળખી શકીએ છીએ.
આપણે તો રમતમાં રચ્યા રહીએ છીએ - અને જે આ જાણે તે ખરો ચતુર સુજાણ.

છેલ્લે, એક નાની ફોટોગ્રાફિક રમૂજ - વિયેના શહેરના અનેક પેડેસ્ટ્રિઅન ક્રોસિંગ આ પ્રકારની ગ્રીન લાઈટ મૂકીને સજાતીય સબંધોના સર્વત્ર સ્વીકાર માટેની પેરવી કરવામાં આવે છે. યોગનુયોગ, આ ફોટોગ્રાફ પર વેલેન્ટાઈન દિવસ (14 ફેબ્રુઆરી, 2016) પર લેવામાં આવ્યો છે.

Thursday, March 24, 2016

Indian cities should discourage cars completely, not just restrict them!

CHOKING CITIES

Delhi's odd-even experiment will be messy, contested and incremental, but restrictions on using cars are here to stay.


The odd-even rationing of roads in Delhi has got everyone talking about air pollution, public transport, carpooling and parking charges. It’s amusing that issues that until recently were confined to policy and academic circles have suddenly entered the public discourse. While this reaffirms the belief that an issue’s proximity to Delhi is directly proportionate to its media coverage, it doesn’t change the reality that the air pollution levels in the capital and other cities are indicative of a public health crisis. And it’s a crisis that has been created by placing our relentless appetite for private automobiles above human interest.
Automobiles dominate our cities and our minds. “Traffic congestion” is part of everyday lexicon and building of flyovers is widely used to claim development in cities. Like the mythological demon that kept gobbling, the demands for uninterrupted traffic flow, wider roads and more flyovers remain unsatisfied.
Private automobiles have become dominant thanks to cheaper loans, lenient taxation, demand for free parking spaces and the absence of effective road-pricing mechanisms. “Car seva” remains the unofficial motto of our urban policies, putting a dent in the city’s budget while officials get criticised for not supplying enough essential “infrastructure” for smooth and fast traffic movement. The large number of litigations against the odd-even car use restrictions in Delhi and the bitter criticism of the capital’s Bus Rapid Transit System illustrate how the incumbent automobile regime resists any form of usage restrictions or re-prioritisation.
Here, there and everywhere
The space occupied by automobiles – moving or parked – is viewed as inevitable and legitimate over other urban activities such as play areas for children or street trading. A car or a motorbike are not only “utility vehicles” but are fast becoming personalised objects of cultural consumption. Popular media and automobile advertisements continue to portray automobiles as symbols of greater freedom and higher social status.
Ownership of an automobile brings a sense of entitlement for consuming increasingly more road space. We have fallaciously linked automobiles and the upgrade from a motorbike to a car as the only possible curve of social and economic progress. Similarly, a spurt in the private automobile sector is viewed as a pathway for economic growth. The automobile regime encompasses political, economic, social and cultural vested interests developed around the relentless consumption of automobile use.
The dominance of automobiles also affects other transport modes and access to public spaces. As automobiles appropriate more and more space, the use and quality of public transport and the share of walking and cycling in commuting declines. Even so, walking and cycling constitute 40% share in urban travel, according to the latest census.
Pedestrians and cyclists scavenge for road space. Jaywalking is not pleasant in most cities. Automobile-free areas, where one can walk freely, children can play carelessly or where the elderly can relax, are rare, gated, exclusive, and at times expensive.
Housing colonies, institutions, streets are infested with parked automobiles, each of them giving up on other activities to accommodate the vehicles. Soon, Gurgaon-like suburbs proliferating in cities around India will lock their residents into an automobile-centric culture, just like the residents of the low-density sprawling suburbs of the North American cities.
We live in cities made for automobiles, honking is an inevitable part of our urban soundscapes, and breathing the foul air emanating from automobiles completes our urban lives. While private automobiles are not solely responsible for air pollution, the dominance of the automobile regime severely affects the quality of urban life.
Long-term projections show that by 2050, the majority of urban travellers in India will depend on public transport of various forms including the para-transits, walking and cycling, carpools or car share if they become popular.
Future course
Despite high vehicle ownership, cities in industrialised countries have reversed their public policies and have started restricting the use of automobiles in one way or the other.
So how will the restrictions on automobile consumption become a political priority in India? Do we have political constituencies around promoting public transport today? Do people demand better buses – GPS-enabled, smart card-operated, etc. – instead of cheaper fuel for their private vehicles? Shouldn’t we have a Pradhan Mantri Rashtriya Shahari Footpath Yojana? Will cycling to work be incentivised in the Smart Cities Mission?
There is a silver lining. The problem of automobile dominance in the city affects the elite class, and that’s why there is such a hue and cry at the moment. Delhi’s odd-even car use restrictions have initiated politics of differential mobility on a large scale – a little niche to discuss alternative ways of moving around the city, a first step to dismantling the idea that car ownership gives you god-given rights to the road space.
The policy may not be completely rational and the government might not have the wherewithal to fully implement it initially. But let’s remember that public interventions in India are messy, contested and incremental.
The odd-even formula from Delhi will slowly get more people on board to understand that restrictions on the use of cars are here to stay. It will grow into two-wheeler restrictions, carpooling and, hopefully, better public transport integration.
As long as the Delhi government is keen to stay the course, these restrictions will become a reality in the capital and hopefully in many other Indian cities as well.
Published on 4th January, 2016. URL: http://scroll.in/article/801229/indian-cities-should-discourage-cars-completely-not-jut-restrict-them 

True leaders lead by action: A welcome change among the politicians!

True leaders lead by action: A welcome change among the politicians (that 'practice what you preach' comes back in political fashion) 

- Ahmedabad mayor Gautam Shah has decided to take the BRTS to his office once a month. Last Monday, he initiated his resolve by commuting to his office via BRTS instead of his official car and he used the public transport throughout the day.
- A municipal corporater from Asarawa has resolved to cycle to the municipal corporation once a month. We hear the same news about a Member of Parliament who cycles to the Parliament everyday.
- Similarly, the Delhi government has decided to put in place the odd-even car use restrictions. The cabinet of Delhi lead the citizens by their own actions. Manish Sisodia, the deputy chief minister, has been cycling to office. Chief minister Arvind Kejariwal is car-pooling.
This is a welcome trend among the politicians across party lines. They are leading by actions. ‘Practice what you preach’ went out of political fashion in last two-three decades. But let us hope it is slowly coming back to public life and public discourse.This is a great trend nationally because the politicians are giving us an important message – individual actions actions matter.
One can be cynical and say that how much do these individual actions matter in the global picture of environmental protection. One trip less by car is not going to protect the environment. Well, it all starts with whether or not you believe in small actions and their power of transforming the world.
Unfortunately, the environmental discourse in India has not become about individual choices. The environmental discourse is more distant from one’s own self in India, where it is ‘some one else’ who is going to protect the environment, not ‘you’!
Some people also believe in ‘my right to pollute’ because we are a developing country. There is an assumption that we will have to pollute our way to prosperity. India as a country might take a bit longer to adopt to fully eco-friendly energy resources.That does not mean that we, as individuals will use that as an excuse not to change our polluting choices. We should not be comfortable with ‘right to pollute’ without exploring the alternatives. Environmental protection or more specifically, pollution-free cities is all about the individual choices that we make in our daily life.
Using a cycle to reach the office or taking public transport once in a while, will help us get out of the routine and try something new. Environmentally-friendly choices are also health friendly. The politicians have already shown us a way and now it is for the citizens do their bit. For politicians will go where we would like them to go. Do we want them to ‘practice what they preach’? Then we will also have to do the same – walk on the righteous path we expect others to walk. Finally, it is for us to decide if we want to make our individual actions matter. 

(21st December, 2015: DNA Ahmedabad edition, Cities Supplement, Page 5)
http://epaper.dnaindia.com/story.aspx?id=76333&boxid=3005&ed_date=2016-1-04&ed_code=1310009&ed_page=5

Resolve to wear seasonal cloths, eat seasonal fruits and walk when you can!

New year resolutions to 'save the world' - we can do a lot more! 


There is a lot more we can do for the environment besides taking pride when the children make drawings on the subjects such as ‘save trees’ or ‘save environment’. Here is what could be our very own seven-point New Year resolutions to save the world–resolutions to ‘be the change we want to see in the world’:
1. Engage yourself with the environment debate - search, read, explore about the environmental issues. Involve yourself, engage yourself first in understanding and then making up your mind to do something about the issue.
2. Live as per the weather - Wear seasonal clothes, eat seasonal food. Avoid cooling yourself unnecessarily. Choose a house with ample light and wind, it will save your energy bills for the life time.
3. Sensible use of transport energy - Walk where you can, cycle if you are alone, motorbike is for the double ride, rickshaw is for the triple ride, use cars for four people and bigger cars/SUVs for large families. Be smart about your air travel and avoid the unnecessary ones, take trains for longer distances – it’s fun! Demand bonus for using public transport from your boss, if you are a boss - give the bonus to the public transport users. Do not resist parking charges to park your vehicles on roads – it is an act of ‘privatising’ public space! Do a campaign for better public transport, good walking/cycling infrastructure, more green spaces around your house and give your vote to such ‘green’ parties in the local elections!
4. First local then global - use more and more local materials, food and groceries. If you like local cheese, don’t go for the Swiss. If you can live with Ambaji’s marble, don’t import them from Italy. Eat a local burger, don’t fall for the American wheat and the French lettuce. Make a small garden and make your house green... even if you just have a little balcony.
5. Adopt green technologies - They will be in vogue if we use them! Use wind energy, solar energy where you can. Conserve rain water. Don’t use clean, potable water for gardening or to wash your motorbike and car(s). Use water miserly, get a plumber and fix that leaking tap.
6. Re-use and re-cycle - make a quilt out of the old saris and a shopping bag out of old shirts and use them with pride. Do the same with the food and don’t waste it. Don’t buy things with lot of packaging. Demand green products from the companies.
7. Be content - Don’t buy everything sold to you. Seek a great joy if you are not being sold anything. Go for shopping after eating, you will buy less. If you are depressed meet your friends instead of going for shopping to pamper yourself. Don’t fall for sentimental consumerism of all things!
Many of these ideas have been very much part of our lives but they are being forgotten slowly. Saving environment is actually saving that lifestyle which taught us to be fair, balanced and not be too extravagant in consuming resources. If we build our life around such ideas (which you will, if you explore the environmental issues) then you will not only add your two pence in climate change mitigation and adaptation but also change your lifestyle for the better. A new year is the best time to be ‘naively’ optimistic about the small acts, when they are multiplied by millions, can transform the world.

(28th December, 2015: DNA Ahmedabad edition, Cities Supplement, Page 5)
http://epaper.dnaindia.com/story.aspx?id=76046&boxid=3177&ed_date=2015-12-28&ed_code=1310009&ed_page=5

Monday, July 27, 2015

A single public transport project cannot solve all traffic problems!


There are optimists and then there are daydreaming optimists. For daydreaming optimists, an announcement of a project is good enough to imagine that all problems will be solved. They would really believe that metro-based mass transit system would solve major traffic problems in the city. Single project solutions are not sustainable solutions for the long run. This is not to say that metro project in Ahmedabad does not have any merits. But the field of urban planning and traffic problems need a multi-starrer cast and one hero is never good enough.

Rail-based transport systems are sturdy and long lasting. They can expand their passenger carrying capacities easily and they move at great speed. They are probably the best system in moving people across cities. When it comes to intra-city travel, they have certain limitations. Metro rail will have a limited geographical spread and secondly, it is the most expensive public transport system. Which city can afford a capital cost of Rs200 crores per kilometer and then equally high operations costs in the system’s lifetime? Given the cost and infrastructure inputs, the metro rail project will only be feasible on a few corridors in a city and it will never have a good geographical spread as other systems. Which means it will have expensive tickets and it will be prohibitive to use for the low-income groups. The low-income groups are the captive public transport users and without their patronage, the metro system cannot prosper. Will the metro project try to attract the dedicated low-income commuters?

Even in cities like Delhi, where the metro have a good coverage of 190 kms or more, buses carry many more passengers than the metro. This is also true for London where the metro network is about 450 kms but the buses carry more passengers. The regular buses are always going to cover the cities well and their tickets are going to be cheaper. Buses are both competitor and complimentary services to the metro. The metro system will work well on the high-capacity segments and it will have to be integrated with the bus-based system to get benefits of the other segments. Smart cities recognise this and create public transport system that is seamlessly integrated. In London, you can use one smart card to access buses, metro, light rail, suburban rail, ferries and taxies. In Ahmedabad, we have two bus services belonging to one municipal corporation struggling to share platforms, ticketing and routes. The exclusivity of the BRTS and apathy in AMTS is hurting the passengers the most. As a result, there are more and more people encouraged to use private vehicles.

If the proposed metro project is going to bring yet another kind of exclusivity then not only the passengers will suffer but also the system will suffer due to low ridership. Seamless transfers and integration of public transport systems multiplies the benefits for everyone. There is a great opportunity to make Vasna, Paldi, Town hall junction, Wadaj and RTO junction as multi-modal transport hubs interlinking the regional bus, AMTS, BRTS and the proposed metro along with the auto rickshaws and taxis. From building one successful project, our cities will have to transit to make one successful system. Integrating projects and developing a system requires a great political and administrative acumen. A city, where success is measured based on systems and not based on projects, is a smart city.

(27th July, 2015: DNA Ahmedabad edition, Cities Supplement, Page 5)

Monday, July 20, 2015

Be the change: Make slow resurgence of cycling in our cities possible


Nikita Lalwani is an instrumentation engineer working with a multi-national corporate firm called Linde Engineering in Vadodara and she has been cycling to work everyday for last one and half years. Nikita also promotes the idea of cycling at work and she has convinced many of her colleagues to take up cycling seriously. She also runs a website - cyclingcities.infor promoting a cycling culture in our cities. Everyday (or occasional) cycling to work has health benefits for individuals and environmental benefits to the society at large. It is high time that employers, firms and individuals come forward and support employees who are coming to work on cycles by proving secured parking spaces, shower rooms and financial support if need be. Should it not make ‘business sense’ to support cycling, which consumes less parking space compared to cars? Parking is becoming a big real estate problem and if an employee does not want to consume as much parking then it is beneficial to the firm! 
Amidst overwhelming automobile culture and increasing traffic on roads, there has been a slow resurgence of a cycling sub-culture in our cities, at least amongst the privileged class. Ahmedabad has active cycling clubs like Cyclone and Ahmedabad Bicycling Club. There are businesses like Decathlon, Revolutions, Cycle Shop, Cycle Crew and MyByke who support cycling related activities. Emergence of these clubs and businesses indicate that there is a growing interest in cycling. If cycling is further backed up by adequate infrastructure by the government and by private sector employers then this interest will only multiply. Of course, any investment in cycling infrastructure will also benefit lakhs of poor cyclists who commute everyday on cycles and it will also encourage children to take up cycling to go to school or for fun. Apart from the government and private firms, individuals have to play an important role to promote environment-friendly choices like cycling. 
Cycling to work or to other destinations is an individual’s initiative to combat climate change, air pollution and traffic congestion. Are we happy with just our children making drawings like ‘save trees’ in their schools or should our concerns for environmental degradation make us take the onus too? As a society with increasing incomes, should we form habits around relentless consumption or should we make more environmental friendly choices in our own lives? These are difficult questions with straight answers. Do as much as you can to make more environment-friendly choices and encourage others to do so. If you are an employer then encourage your employees to take up cycling and if you are an employee then seek support from your employer for promotion of cycling. 
Probably an entire generation of kids will never know how to wander around the city on cycles. Many parents put a blanket ban on cycling for their children, which may be unnecessary. It should be perfectly alright for children to cycle on roads with less or limited traffic. If such an environment is not available then it should be created even if it is temporary. An interesting cycling event is being planned on the 5 km stretch on the riverfront road on Sunday, July 26, from 6 am onwards. You are welcome to join with your children. The only condition is to bring cycles and possibly helmets. Let’s create a safe cycling environment to promote a cycling culture in our cities because cycling-friendly cities are people-friendly, healthy and beautiful cities.

 (20th July, 2015: DNA Ahmedabad edition, Cities Supplement, Page 5)

Friday, May 09, 2014

નગર ચરખો - સંસ્કાર કેન્દ્ર ને સાચવો, વારસાને બરબાદ થતો બચાવો

ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida) 
ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida)
My article in NavGujarat Samay today - Saving Sanskar Kendra 
(and it seems, it got saved for the time being)

The best way to teach history is to take children to see the city and to explore its heritage. The heritage buildings tell stories of their time like how grandparents tell stories to kids. But have we left our cities in position to tell us stories from the past - haphazard construction, abuse of heritage monuments, lack of maintenance have made 'heritage' a bureaucratic term. Heritage can be best expressed through lived, spatial experiences. 

Sankar Kendra in Ahmedabad is an important historical document telling us a story about the experiments with modernity in the post-Independent India. It is one of the two public building that Le Corbusier designed in Ahmedabad. Unfortunately, the Municipal Corporation is about to build an administrative block very close to Sanskar Kendra and blocking its visual access from the main street. We hope that they take this mindless decision back and find some other place for their new building. 

Update - When this article was in print, the municipal corporation has promised to stop the construction on this site and agreed to shift their building somewhere else. 


કોઈ બાળકને ઈતિહાસ સૌથી સારી રીતે ભણાવવો હોય તો તેને શહેરમાં ફરવા લઇ જાવ. શહેરમાં ફરતાં ફરતાં, વિવિધ પ્રકારની ઈમારતો જોતાં, અવનવી જગ્યાઓ જોતાં નવી પેઢીનાં મનમાં ઈતિહાસની સમજ અંકાય છે. જેમ દાદી કે દાદા બાળકોને તેમના સમયની વાર્તાઓ કહે છે તેમ જૂની ઇમારતો આપણને તેમના સમયની વાર્તાઓ કહે છે. જૂની ઈમારતો શહેરનાં  દાદા-દાદી જ છે. શું આપણે શહેરોને એવા રહેવા દીધા છે કે જેમાં હરતાં-ફરતાં આપણાં ઈતિહાસ વિષે જાણકારી મળે? જો આપણે શહેરને નહિ સાચવ્યું હોય, તેમાં ગમે તેમ તોડફોડ કરી હશે, ગમેતેમ બાંધકામ કર્યા હશે તો આવનારી પેઢી આપણને પૂછશે, અમારો ઈતિહાસ ક્યાં? અમારો વારસો ક્યાં? અમને શહેરની વાર્તા કહેતાં દાદા-દાદી ક્યાં? 

પાલડીના સરદારબ્રિજ પાસે આવેલું સંસ્કાર કેન્દ્ર મહત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે. વીસમી સદીના એક અગ્રગણ્ય આર્કિટેકટ લ કર્બુઝીયેરે આ ઈમારતની ડીઝાઈન બનાવેલી છે. સ્થાપત્યના ઇતિહાસમાં જેને મોડર્નીઝ્મનો સમય અને શૈલી કહે છે તેના ઉદાહરણરૂપ આ ઈમારત છે. 1950ના દાયકામાં કર્બુઝીયેરે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સાથે મળીને અમદાવાદીઓને આ 'મ્યુઝીયમ ઓફ નોલેજ' ભેટ આપેલું. સંસ્કાર કેન્દ્ર સીવાય લ કર્બુઝીયેરની ડીઝાઈન કરેલી બીજી ત્રણ ઇમારતો અમદાવાદમાં છે - આશ્રમ રોડ પરનું આત્મા બિલ્ડીંગ અને ખાનગી રહેઠાણોમાં સારાભાઇ હાઉસ અને શોધન હાઉસ. એક જ શહેરમાં કર્બુઝીયેરની ચાર-ચાર ઇમારતો હોવી તે અમદાવાદને વિશ્વનાં નકશા પર લાવીને મૂકે છે. લોકો દૂર-દૂરથી કર્બુઝીયેરની ઇમારતો જોવા અમદાવાદ આવતાં રહ્યા છે. કર્બુઝીયેરની ઇમારતો ભારતીય સ્થપતિઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતી રહી છે. 

પ્રખ્યાત સ્કોલર સુનીલ ખીલનાની કહે છે કે છેક 19મી સદીથી ભારતમાં અમદાવાદ જ એક એવું શહેર હતું કે જે પોતાની શરતે અને આગવી રીતે આધુનિકતાના રસ્તે આગળ વધ્યું. આઝાદી પછી ભારતનાં ઘણાં શહેરો નવા સમયમાં પોતાની ઓળખ અને આધુનિક વિચારો અંગે અટવાયેલાં હતાં ત્યારે અમદાવાદના શ્રેષ્ઠીઓએ વિશ્વનાં જાણીતાં આર્કિટેકટસ, ડીઝાઈનર્સ, શિક્ષણશાસ્ત્રી અને વિચારકોને અમદાવાદનાં આંગણે લાવીને મૂકેલાં. એક સાવ નવાં દેશ અને સંસ્કૃતિ માટે (બ્રિટીશ સંસ્થાનવાદીઓને વચ્ચે રાખ્યા વગર) પશ્ચિમી સભ્યતાનો સાથેનો આ સીધો સંપર્ક હતો. 1950ના દાયકામાં નવા આધુનિક વિચારો, સ્થાનિક વહેવારો અને કૈંક નવું કરવાની ધગશ સાથે અમદાવાદમાં મહત્વની સંસ્થાઓ ઉભી થઇ, નવી ઈમારતો ઉભી થઇ. સંસ્કાર કેન્દ્ર અમદાવાદનાં આ મહત્વનાં ઇતિહાસનું એક પ્રકરણ છે. હેરીટેજ ઈમારત તરીકે તેનું સરકારી લીસ્ટમાં નામ હોય કે ન હોય, સંસ્કાર કેન્દ્ર અમદાવાદીઓ માટે તેમનાં  50 વર્ષ જૂના ગ્લોબલ કનેક્શનની યાદગીરી છે, ઈતિહાસની એક વાર્તા છે. 

કમનસીબે, મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રની બાજુમાં એક વહીવટી ઓફીસનું મકાન બનાવીને સંસ્કાર કેન્દ્રને જાણ્યે-અજાણ્યે ઢાંકી દેવા જઈ રહી છે. સામાન્ય રીતે આ પ્રકારના ઐતિહાસિક મકાનોની આસપાસના વિસ્તારને બહુ ધ્યાનપૂર્વક સાચવવામાં આવે છે. જો સંસ્કાર કેન્દ્રની સામે બે માળનું મકાન બનશે તો તેનો જાહેર રસ્તા સાથેનો સીધો સંપર્ક તૂટી જશે. સંસ્કાર કેન્દ્ર નામનો ઈતિહાસનો દસ્તાવેજ કદરૂપા મકાનોથી ચારેબાજુથી ઘેરાઈને પોતાની ઓળખ ગુમાવી બેસશે. શહેરના ઇતિહાસની જાળવણી કરવી તે મ્યુનીસીપલ સત્તાવાળાઓની મહત્વની જવાબદારી છે. મ્યુનીસીપલ સત્તાવાળા તેમનાં વહીવટી મકાન બનાવવા માટે બીજી જગ્યા આસાનીથી શોધી શકે તેમ છે. 

એવી આશા રાખીએ કે મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રને ઢાંકી દેવાનો તેમનો નિર્ણય પાછો લેશે અને સંસ્કાર કેન્દ્રની આસપાસ તેમનાં જ આદેશથી થતું બાંધકામ અટકાવશે. સંસ્કાર કેન્દ્રને આસાનીથી બચાવી શકાય તેમ છે, આવી દરેક સમસ્યાનો વ્યવહારુ ઉકેલ હોય જ છે. જરૂર છે માત્ર થોડા ખુલ્લા મનથી બીજા રસ્તાઓ શોધવાની. સંસ્કાર કેન્દ્રની આસપાસના વિસ્તારને નવો રૂપરંગ આપીને આ ઐતિહાસિક ઈમારતનો સમકાલીન જરૂરીયાત પ્રમાણે યોગ્ય ઉપયોગ થઇ શકે તેમ છે. નહિ તો પછી આ શહેરે તેના ઈતિહાસની મજાની વાર્તા કહેતી એક વડીલ ઈમારતની જાહોજલાલી ગુમાવવી પડશે. 

charakho@gmail.com 

નવગુજરાત સમય, પાન નં 11, 9 મે, 2014.


Tuesday, April 01, 2014

બ્લોગના ચાર વર્ષ - એક નાનકડી ફોટો-વાર્તા

આજની તારીખે મારા બ્લોગના ચાર વર્ષ પૂરા થાય છે. પહેલી વર્ષગાંઠની પોસ્ટમાં મેં નિરંતર બકવાસ કરેલો, બીજી વર્ષગાંઠે લાંબોલચક નિબંધ ઢસડી મારેલો, ત્રીજી વર્ષગાંઠે તો કવિતા સુધ્ધાં લખી નાખેલી. એટલે આ ચોથી વર્ષગાંઠે વિચાર છે કે કંઇક  નવું જ કરીએ. આ વખતે કંઇક નવા મીડીયમથી કરીએ. તો રજૂ થાય છે એક નાનકડી ફોટો વાર્તા - ફોટાથી ય કંઇક કાંતી શકાય ને વાર્તા ગૂંથી શકાય. હેપ્પી ફોર્થ બર્થડે ટુ ચરખો! 

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની નજીક અયુથ્યા નામની એક હેરીટેજ સાઈટ આવેલી છે. આ અયુથ્યા પંદરમીથી અઢારમી સદીની વચ્ચે સિયામ રાજ્યની રાજધાની  હતી. કદાચ હિંદુ અને બૌદ્ધ ધર્મની અસરના લીધે અયુથ્યા અને રામાયણની 'અયોધ્યા' વચ્ચે સંબંધ તો ખરો જ. અયુથ્યાના પરંપરાગત મહેલો અને મંદિરો  જોવા અને માણવાલાયક છે. તે ઉપરાંત અયુથ્યા પાસે એક 'રોયલ એલીફન્ટ ક્રાલ' આવેલી છે જે એલીફન્ટ સ્ટેના નામે પણ જાણીતી છે. આ એલીફન્ટ ક્રાલ હાથીઓ માટેનો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, નાની અસ્પતાલ અને દેખરેખ રાખવા માટેનું સ્થળ છે - વિવિધ પ્રકારના હાથીઓ માટેનું ઘર. આ હાથી ઘરમાં તમે (માણસ હોવા છતાં) એક સ્વયંસેવક તરીકે કે પર્યટક તરીકે રહી શકો છો. સ્વયંસેવક કે પર્યટક તરીકે રહેવા માટે ભાડું ભરવું પડે છે અને આ જ પ્રકારના ફંડ-ફાળાથી આ સંસ્થા ચાલે છે. થાઈલેન્ડના ગ્રામીણ અને જંગલ વિસ્તારોમાં તો હાથીનો ઉપયોગ લગભગ પાલતુ પ્રાણી તરીકે થાય છે. આ હાથીઘરમાં ઘણીવાર જંગલી હાથી પણ આવે છે,  જેમને વખત જતાં પાલતુ બનાવવામાં આવે છે. જંગલી  હાથીઓ માટેની બધી વ્યવસ્થા અલગ છે, બાકીના હાથીઓને હળીમળી શકાય છે. લોકો પૈસા આપીને હાથીઓ  સાથે સમય વિતાવવા આવે છે. 

પહેલી ફેબ્રુઆરી, 2008ના રોજ અમે (હું અને મારા એ) આ એલીફન્ટ ક્રાલ ફરવા માટે ગયા હતા. આ કેમ્પસના પાછળના ભાગમાં નદી વહે છે. આ નદીની આસપાસવાળો ભાગ બહુ જ સુંદર હતો. અમે ત્યાંના સ્થાનિક લોકો જોડે કંઈ વાતચીતની ભાંજગડમાં હતાં, તેટલામાં જ એક હાથી તેના મહાવત સાથે આવી ચઢે છે. પછી આગળની વાર્તા ફોટોગ્રાફ્સની મદદથી સાંભળો.


















બાળવીર ધૂબાકાવાળા!

Friday, February 21, 2014

વિશ્વ માતૃભાષા દિવસ પર એક લટાર

હેપ્પી વિશ્વ માતૃભાષા દિવસ!

એક લટાર (રેનીયર મારિયા રિલ્કે)

મારી આંખો ત્યાં સૂર્ય-ભીની ટેકરીને અડકે,
મેં શરુ કરેલા રસ્તા ઓળંગી આગળ વધે.
જેને પકડી શકાય નહિ તેનાથી પકડાઈ જવાય છે,
અનહદ અંતરથી ય ત્યાં અંતર-પ્રકાશ રેલાય છે.

અને ધસી જવાય છે ત્યાં પહોંચાયા વગર,
કોઈ બીજા જ સ્વરૂપમાં, કશું સમજાયા વગર,
કે આ આપણે જ છીએ; ને એક ઈશારો લહેરાય છે,
આપણી કોઈ લહેરના જવાબમાં...
પણ આમ તો આખરે જે અડકે તે ચેહેરા પર નાની લહેરખી.


A Walk (Rainer Maria Rilke)

My eyes already touch the sunny hill.
going far ahead of the road I have begun.
So we are grasped by what we cannot grasp;
it has inner light, even from a distance-

and charges us, even if we do not reach it,
into something else, which, hardly sensing it,
we already are; a gesture waves us on
answering our own wave...
but what we feel is the wind in our faces.

Happy World Mother language day!

Monday, January 20, 2014

માણસમાંથી જણસ - સુંદરતાના વિકૃત માપદંડો અને ફોટોશોપીય ખેંચતાણ

સ્ત્રી-શરીરને આગળ ધરીને દુનિયાની બધી પેદાશો અને આડપેદાશો વેચવા કાઢવામાં આવે છે. શેવિંગક્રીમથી લઈને કાર સુધીના ધંધા માટે સ્ત્રી-શરીરને આગળ ધરવાની જરૂર પડે છે. ચીકની ચમેલીથી લઈને શીલાકી જવાની દ્વારા ફિલ્મો વેચવામાંઆવે છે. આ ફિલ્મો-ગીતોની સફળતા દ્વારા સ્ત્રી-શરીરની નુમાઈશને જાહેર રીતે સામાજિક-સાંસ્કૃતિક મંજૂરી મળે છે અને આ ગીતોના શબ્દો રોજબરોજની બોલચાલની ભાષામાં પ્રવેશે છે. પછી જ્યારે બાળકીથી માંડીને વૃદ્ધા પર બળાત્કાર થાય કે તેમની છેડતી કરવામાં આવે તો આપણને નવાઈ લાગે છે કે પુરુષ આટલો હેવાન કેમ બને છે?  આ સ્ત્રી-વિરોધી (misogynist) માનસ કેવી રીતે આકાર પામે છે કે જે પુરુષને સ્ત્રી સામે હિંસા (બળાત્કાર કે છેડતી સહીત) સુધી દોરી જાય છે, તે સમજવા માટે આસપાસ નજર જ નાખવાની જરૂર છે.
Outright sexist advts from the past decades - 1
આજકાલ તો સ્ત્રી-શરીર પ્રદર્શનની તરફેણમાં 'નવી પેઢી'ના નામે વિકૃત દલીલો પણ કરવામાં આવે છે. સ્ત્રી-શરીરનું પ્રદર્શન મુક્ત રીતે થવી જોઈએ તેવું કેટલાક લોકો ફોરવર્ડ, આધુનિક, નવી પેઢીના કે યુવાન હોવાનાં અભરખામાં માને છે. હા, વાત સાચી છે કે જે લોકો મનથી રૂઢીચુસ્ત હોય તેમને આધુનિક કે 'બ્રોડ માઈન્ડેડ' દેખાવાનો બહુ અભરખો હોય છે. સ્ત્રી-પુરુષના સંબંધો વિષે, સેક્સ વિષે અને સ્ત્રી-શરીરની નુમાઈશ વિષે વાત કરો એટલે ફોરવર્ડ કે યુવાન (કે બંને) હોવાનો ભ્રમ ઉભો કરી શકાય છે. અહીં બારીક વાત એ છે કે સ્ત્રી-શરીર કે માનવ-શરીર પ્રદર્શન માત્ર સામે વાંધો નથી પણ એ સમજવું ઘટે છે કે આ પ્રદર્શન કોણ કરે છે, શા માટે કરે છે, કોણ કરાવે છે અને ક્યા હેતુથી કરાવે છે. આ પ્રદર્શન કરવાથી 'સ્ત્રી એટલે શરીર' કે ' સ્ત્રી એટલે ઉપભોગની વસ્તુ' - આ સરળીકરણ બહુ જડબેસલાક સ્થાપિત થઇ ગયું છે. શું સ્ત્રી-શરીરનો દેખાડો 'સ્ત્રી એટલે શરીર' જેવા દ્રષ્ટિકોણને વધુ પ્રસ્થાપિત કરે છે કે પછી 'સ્ત્રી એટલે વ્યક્તિ, માત્ર શરીર' નહિ તે સમજવામાં મદદ કરે છે? સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાની પ્રક્રિયામાં પોતે કેવી રીતે ભાગ ભજવે છે આ પોતાની રીતે દરેક વ્યક્તિએ - પુરુષે તપાસી લેવું જોઈએ. સ્ત્રીનું વ્યક્તિત્વ તેની શારીરિક કે ભૌતિક સીમાઓથી ઊંચું હોય તો પણ તેને તેના શરીરને આધારે જ મૂલવવામાં આવે ત્યારે સમાજ પરિપક્વ હોવા અંગે શંકા જાગે.
Outright sexist advts from the past decades - 2
સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદનો પ્રસાર એટલો મોટો હોય છે કે કોઈ સંસ્કૃતિના રક્ષણકારો માટે તેનો મુકાબલો કરવો અઘરો હોય છે. પણ સ્ત્રીઓને 'કાબૂમાં રાખવાનો' ભ્રમ પાળવો સહેલો હોય છે. સ્ત્રીઓ પર થતી હિંસાનો 'બહાદુરી'થી મુકાબલો કરવા માટે સ્ત્રીઓના આવાગમન પર, તેમની નોકરી કરવા પર, તેમના કપડાં પર કે તેમને મોબાઈલ રાખવા સુધ્ધાં પર પ્રતિબંધો મૂકવામાં આવે છે. આ પ્રતિબંધોને સામાજિક મર્યાદા જેવા રુપકડાં નામોથી સજાવવામાં આવે છે. પપ્પાના કહ્યા મુજબ પીન્કી સાંજે સાત વાગે ઘરે પાછી ફરે છે ત્યારે પપ્પા અને મમ્મી ટીવી પર કોમેડી સર્કસ પર કોઈ સેક્સીસ્ટ જોક પર હસતાં હોય છે. સ્ત્રી જાત પર, ખાસ તો પત્નીના નામે ઉડાવાતી ખીલ્લી દ્વારા લૈંગિક ભેદભાવો બહુ અસરકારક રીતે ઊંડા થાય છે. કોઈને હીણા, નીચા કે નકામાં ચીતરવા હોય તો તેમની મજાક બનાવવી સહેલો અને અકસીર ઉપાય છે. સ્ત્રીને કાબૂમાં રાખવાથી આખરે સંસ્કૃતિ 'બચી જતી' હશે પણ જો કે સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા રોકાતી નથી. આવાગમન, કપડાં, વાણી-વર્તન-વ્યવહારમાં પોતાનું કહ્યું માનતી સ્ત્રીઓને દેવીનું બિરૂદ મળે છે અને સવારથી સાંજ રસોડામાં મજૂરી કરતી અને તૈયાર ભાણે ગરમ-ગરમ રોટલી પીરસતી સ્ત્રીને અન્નપુર્ણાનું બીરૂદ મળે છે. આવા બિરૂદો સ્ત્રીની સામાજિક મૂડી (સોશિયલ કેપીટલ, યુ નો!) છે, જેનો ભાર વેંઢારીને તે જીવન પસાર કરે છે. પોતાના પર આટલું વીતી ચુકેલી સ્ત્રીઓની જૂની પેઢી, નવી પેઢી પાસે પણ પોતે જે રીતે પિતૃસત્તાક મૂલ્યોનું પાલન કર્યું તે પ્રમાણે જ તેનું પાલન થાય તેવી 'પરંપરા' જાળવી રાખવાનો આગ્રહ રાખે છે.

સ્ત્રી-શરીરના પ્રદર્શન અને તે દ્વારા પોષાતા ગ્રાહકવાદની વચ્ચે પોતાનાં સ્વતંત્ર વિચારો કે વ્યક્તિત્વની સાથે સુમેળ ધરાવતાં, આત્મવિશ્વાસ કે આત્મશક્તિસંપન્ન (empowered) પાત્રોની ભયંકર કમી આજકાલના ટીવી-મીડિયા-ફિલ્મમાં જોવા મળે છે. પિતૃસત્તાક વાતાવરણની મધ્યેથી ફૂટી નીકળતાં આત્મ-સત્તાક સ્ત્રી અને પુરુષ પાત્રોની ગંભીર અછત છે. યુવાનો અને યુવતીઓએ વિજાતીય સંબંધોના તાણાવાણા સમજવા માટે કોઈ સ્ટીરીયોટાઈપથી અલગ કંઇક હોવું જોઈએ કે નહિ? અનુરાગ કશ્યપ, અભિષેક ચૌબે અને દીબાકર બેનર્જી જેવા જૂજ ફિલ્મકારોએ આત્મ-શક્તિસંપન્ન સ્ત્રી-પુરુષ પાત્રો વચ્ચે સર્જાતાં જાતીય સંબંધોના જોડતોડ કે સેક્સ્યુઅલ પોલીટીક્સની વાત કરવાની શરૂઆત કરી છે. પણ સમગ્ર સમાજ પર ચીકની ચમેલી-પણાનો ભયંકર પ્રભાવ છે. વીજાતીય સંબંધોના મામલે પરિપક્વ હોવું એટલે સામીવાળી વ્યક્તિની સંમતિ કે અસંમતિને માન આપવું, તેની પસંદ-નાપસંદ સમજવી અને તેના દ્રષ્ટિકોણને સમજવો. આ સંબંધોમાં પરિપક્વતા એ સમજવાથી આવે છે કે વિજાતીય વ્યક્તિ આપણી જેમ જ સ્વતંત્ર વિચાર ધરાવતી વ્યક્તિ છે, એ એક શરીર માત્ર નથી. આપણે જેમ પોતાના સ્વતંત્ર વિચારોનો ઉપયોગ કરીને સ્વ-અર્થ અને સ્વ-વૃત્તિ જાળવી રાખીએ છીએ તેમ તે પણ તે કરી જાણે છે. ખાસ તો પુરુષમાં પરિપક્વતા શારીરિક ફેરફારોથી નથી આવતી. સ્ત્રી એ શરીરથી વધારે કંઇક છે, એક સ્વતંત્ર વ્યક્તિ છે, તે સમજવું તે એક પરિપક્વ પુરુષ હોવા માટેની મૂળભૂત શરત હોવી જોઈએ.

આ સાથે સાથે વિજાણું યંત્રોથી છલકાયેલી દુનિયામાં એક નવો જ ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે. એ નવો ટ્રેન્ડ એટલે કે સુંદરતાનો એકરુપી, એકપક્ષી, અવાસ્તવિક અને અકુદરતી માપદંડ બનાવવાનો. આ સુંદરતાનો માપદંડ કેવી રીતે રચાય છે તે સમજીએ. આજકાલ મીડિયા એટલે કે વેબ પર કે મેગેઝીન પર દેખાતી સ્ત્રી (કે પુરુષ)ને સોફટવેરની મદદથી વધુ 'સુંદર' બનાવવી. કોઈપણ ફોટોગ્રાફ કે વિડીયોમાં ફોટોશોપ નામનાં સોફટવેરની મદદથી તે પાત્રનો રંગ બદલી શકાય છે, તેના અંગ-ઉપાંગના ભાર-ઉભાર વત્તા-ઓછા કરી શકાય છે, તેની રેખાકૃતિને વધુ સુરેખ બનાવી શકાય છે, તેની આંખોનો કે વાળનો રંગ બદલી શકાય છે.  નીચે આપેલ વિડીયો આ વાત વધુ સહેલાઈથી સમજાવી શકશે. અત્યાર સુધી મેકઅપ કરવાથી કે અમુક પ્રકારની લાઈટમાં કલાત્મક ફોટો પાડવાથી વ્યક્તિને વધુ 'સુંદર' બનાવી શકાતી હતી. હવે તો ફોટો પાડ્યા બાદ મોડેલનું શરીર, તેના અંગ-ઉપાંગ, રેખાકૃતિ, રંગ વગેરે બદલવાની વાત છે. તો પછી જે તે પાત્ર વિજાણું યંત્રો કે મેગેઝીન પર દેખાતું હોય તેમાં સાચું કે વાસ્તવિક શું? કૃત્રિમ રીતે 'સુંદરતા'નું ઉત્પાદન કરવાની આ નવી પદ્ધતિ છે. સ્ત્રી-શરીરનો એક ઔર વપરાશ શોધી કાઢવામાં આવ્યો છે. સ્ત્રી-શરીરની નુમાઈશ પર નભતાં ગ્રાહકવાદની વિકૃતિની આ ચરમસીમા છે. કારણકે આ વિજાણું વિકૃતિઓ દ્વારા બનાવેલી 'પરફેક્ટ' મોડેલની ખેવના રાખતાં પુરુષો વાસ્તવિક સ્ત્રી જોડે અવાસ્તવિક અપેક્ષા રાખતાં થઇ જાય છે. સ્ત્રીઓ અને યુવતીઓ આ 'પરફેક્ટ' દેખાવની અપેક્ષામાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.
વાત અહીં અટકતી નથી. સુંદરતાના બહાના હેઠળ થતી આ વિજાણું ખેંચતાણ આખરે તો એક પ્રકારની 'સુંદરતા' પ્રસ્થાપિત કરવા માટે થતી હોય છે. તકલીફ એ છે કે આ સુંદરતાની વ્યાખ્યા બહુ સાંકડી હોય છે, બીબાઢાળ હોય છે અને એકંદરે ગ્લોબલ હોય છે. કોણ ક્યા દેશ, પ્રદેશ કે મૂળ રંગનું છે તેની ખબર જ પડતી નથી. ફોટોશોપ અને બીજા સોફ્ટવેર તો વિજાણું વિકૃતિઓની અનંત શક્યતા ઉભી કરે છે પણ તેનો ઉપયોગ 'સુંદરતા'ના એકસરખા, એકરૂપી ગ્લોબલ ઉપભોગ માટે થાય છે. તમે ગમે તે દેશ, પ્રદેશ કે વંશ જ હેઠળ જન્મ્યા હોવ પણ જો તમે આ ગ્લોબલ સુંદરતાની વ્યાખ્યામાં ફીટ થઇ શકો, તો જ તમે મોડેલ કે સ્ટાર થઇ શકો. ટૂંકમાં, લગભગ એક જ સરખી, એક જ રૂપરંગની, બાર્બી ડોલ  જેવી લાગતી કન્યાઓ મોડેલ તરીકે ચમકે છે. સુંદરતાના આ માપદંડ સાથે અસંગત તેવી ફેંચ મહિલા ખેલાડી મારિયો બાર્તોલી નામની વિમ્બલ્ડન વિજેતાની મજાક ઉડાવાય છે. ટૂંક માં, સ્ત્રી તેના જીવનમાં ગમે તે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે તો પણ આખરે તેની સિદ્ધિને તેના શરીર જોડે જ સાંકળીને જોવામાં આવે છે.

આઘાતજનક વાત  એ છે કે આ પ્રકારની 'સુંદરતા'નું નિરૂપણ બાળકોને કેન્દ્રમાં બનતી ફિલ્મો કે ટીવી સીરીયલ વગેરેમાં તો  ખાસ થાય છે. નીચેના ફોટોગ્રાફને જુવો. 2012માં આવેલી 'બ્રેવ' નામની એનીમેશન ફિલ્મના સ્કોટીશ રાજકુમારીના પાત્ર મેરીડાને (જમણી બાજુની આકૃતિ) જ્યારે ડીઝની કંપનીએ ફરી રજૂ કરી (ડાબી બાજુની આકૃતિ) ત્યારે તેનામાં કેટકેટલા ફેરફાર થઇ ગયા! મેરીડાની સ્કોટીશ રેખાકૃતિ ગાયબ થઇ ગઈ, તેની કમર વધુ પાતળી બનાવવામાં આવી, આઇબ્રોથી શાર્પ થઇ ગઈ, ગાઉન લો-કટ અને વધુ ઝાકઝમાળ થઇ ગયો અને વાળ અકુદરતી રીતે સુવ્યવસ્થિત થઇ ગયા. આ છે એક એનીમેશન પાત્રનું ડીઝની-કરણ! ડીઝનીની એનીમેશન ફિલ્મો તેમાં દર્શાવાતી રાજ્કુમાંરીઓને બાર્બી ડોલ જેવી બીબાંઢાળ સુંદરી બનાવવા માટે કુખ્યાત છે. તો કહો ચતુર-સુજાણ, આ ડીઝની-કરણે મેરીડાને 'સુંદર' બનાવી કે વધુ કદરૂપી અને કૃત્રિમ.


સ્ત્રીને 'માણસમાંથી જણસ' બનાવવાનો મોટો ઉદ્યોગ ચાલે છે. ટીવી, મીડિયા, મેગેઝીન તેમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. સ્ત્રીઓના અન્યાયની વાત કરવાની શરુ કરીએ તો ઘણા પુરુષો એવું કહેતા આવી પડે કે આવું તો પુરુષો સાથે પણ થાય છે. પુરુષો સાથે જે થાય છે તે પણ ટીકાને પાત્ર છે પણ સ્ત્રીઓને થતો અન્યાય વ્યાપ્ત અને સંખ્યાની દ્રષ્ટિએ અનેક ગણો વધારે છે અને તેથી વધુ, તે સ્ત્રીઓ સામે થતી હિંસા સાથે જોડાયેલો છે. લગભગ સો વર્ષ પહેલા સ્ત્રીઓને મતાધિકાર પશ્ચિમી દેશોમાં મળેલો, તે તેમની માનવ હોવાની લડાઈમાં મહત્વનો પડાવ હતો. આવતા સો વર્ષમાં એ આશા રાખીએ કે પુરુષો પણ સ્ત્રીઓને 'જણસમાંથી માણસ' બનવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લેતા થાય અને સુંદરતા વિષે પોતાના માપદંડોમાં પરિપક્વ થાય.